Saturday, July 31, 2010    
 
Search  www jainuniversity.org
About us | Contact | Contribution | Sitemap | Home 
 
1. Blessings
2. Jainism - Simplified
3. Lord Mahavir
4. 24 Tirthankars
5. Jainism Sect
6. New to Jainism?
7. Navkar Mantra
8. Jain Religious all Sutro
9. Jain Songs Stavans Aarti
10. Jain Pooja/Poojans
11. Daily Navkarsi time
12. Pachchakhan/Sutak
13. Jain Tirth Places +
14. Jain Tithi, Panchang
15. Art and Photo Gallery
16. Astrology/Vastushastra
17. Listen Navkar Mantra
18. Jain Recipes
19. Ayruvedic Upchar
20. Useful Addresses
21. Jain Trusts
22. Jain Saints
23. FAQ
24. Greetings
25. Courseware
26. Jain Higher Knowledge
27. Jain Festivals
28. Advertisements
29. Jain Magazines
30. Other Jain Site
31. Childrens Zone
Modern Knowledge Centre
Total Visitors
Please donate your knowledge
Print this page  Email this page  Back  
આયુર્વેદ દવાઓ

(૧) બ્રાહ્મીવટી : મગજના જ્ઞાનતંતુઓ પર ચિંતા, કામનો બોજો ભણવાનો બોજો, ડીપ્રેશન બાળક, વકીલ, જજ, ડો, વૃધ્ધ, માંદગી પછીની નબળાઈ વખતે સાદી બ્રાહ્મીવટી તેમજ સુવણેયુકત બાહ્મીવટી.

(ર) પ્રબોધક વટી : માથાના દુઃખાવા, શરદી, સળેખમ, ગેસના દબાણને હળવું કરે છે, શરીર - મનને ચેતનવતું ઉત્સાહિત બનાવે છે, ખાંસી, ઝીણો તાવ અશકિત અને કબજીયાત દૂર કરે છે. લોહીના ઉંચા કે નીચા દબાણને ૧૦ મીનીટમાં સમ કરે છે.

(૩) જવાહર મોહરા : ઉત્તમ હાટેટોનીક, મસ્તિક પૌષ્ટિક, હૃદયની કમજોરી, હાટેએટેક આવવાની શરુઆત કે બાદમાં, નાડીની કમજોરી, ગભરામણ થવી, રકતદબાણ એકદમ વધી કે ધટી જવું, કમજોરીથી થોડું ચાલવાથી શ્વાસ ભરાઈ જવો, સ્મરણશકિત ઓછી થવી, નકામા વિચારો આવવા, થોડા વિચારથી મગજ થાકી જવું, વિરોધ થતાં ઉશ્કેરાઈ જવું, ગરમ થવું ગેરે માટે અકસીર દવા.

(૪) સુવર્ મકરધ્વજવટી : શતગુણ - ઉત્તમ જંતુધ્ન, વિષપભાવ-નાશક, હૃદયને બળ આપનાર, વાણીને સ્થિરને શુદ્ધ કરનાર, પ્રજ્ઞા, વીયે, સ્મરણશકિત અને કાંતિને વધારનાર, ક્ષય, ધાતુક્ષીણતા,જીણેજવર,ત્રિદોષ જ્ઞાનતંતુની નબળાઈ, વાતવાહિનીઓમાં, ક્ષોભ,ફેફસાની કમજોરી, પેટના રોગો, પાડું, કમળો, પ્રસૂતિના રોગો માટે અકસીર છે.

(પ) સુવણે મકરધ્વજવટી : ષોડ્ષગુણ - ઉત્તમ ટોનીક, આંતરડા, ફેફસાં હૃદય, મૂત્રાશય વગેરે અવયવોને શકિત આપે છે અને મગજનાં જ્ઞાનતંતુઓને શકિત આપી યાદશકિત વધારે છે. શરીરનું વજન, બળ અને રંગ ઉધાડે છે. એલોપથીક ઈન્જેક્ષનના રીયેકશન, ઈલેદ્રીકશોક, આકસ્મિક સંજોગોમાં હૃદય નબળું પડતાં, બેહોશી વખતે ગોળીવાટી પ્રવાહી સાથે ગળામાં રેડી દેવું. પેટમાં પહોંચાડવાથી તે જ ક્ષણે રિએક્ષન પાછું પડે છે. દર્દી બચી જાય છે. સચોટ રસાયન છે.

(૬) સુવર્ણ યુકત મુકતાદિવટી : બાળકોના બાલશોષ, જીણેજવર, બાળકોનું ગળી જવું, પાડુંરોગ, અપચો, આફરો, ઉલ્ટી, ઝાડા થઈને દૂધ નીકળી જવું, ખાંસી, સ્કૂતિેનો અભાવ, મોં આવવું, ગાઢો પેશાબ, બાળકને નીરોગી અને બળવાન બનાવે છે.

(૭) સ્પે. -વસંતકુસુમાકર રસ : ડાયાબીટીસ - મધુપ્રમેહની આ અકસીર દવા છે. જૂના ડાયાબીટીસના ઉપદ્વવથી થયેલ હૃદય વિકાર, શ્વાસ, પ્રમેહ પિટીકા (cerbuncle ) કાસ, મૂચ્છો, ઈન્દ્રિય, દૌર્બલ્ય, સહેજ વિચાર આવતાં જ વીયેસ્ત્રાવ થઈ જવો, નપુંસકતા, મૂત્રપિંડની વિકૃતિ, યાદશકિત ધટી જવી, ભ્રમ, અનિદ્રા, વાજીકરણ અને સ્તંભનનો ગુણ સારા પ્રમાણમાં છે. પણ ઉત્તેજક નથી. કંઈ વાગે ને લોહી નીકવ્યા કરે અને જલ્દી બંધ ના થાય તો તુરત ફાયદો કરે છે. સોજાયુકત સાંધાના દુઃખાવામાં આ ઔષધ ટૂંક જ સમયમાં જ ચમત્કારિક પરિણામ બતાવે છે.

(૮) વસંત મિશ્રણ : જીર્ણજવર, ધાતુગતજવર, વિષમજવર, અતિસાર, ક્ષય, અશે, તાવ, મંદાગ્નિ, શૂળ, વાતરોગ, પ્રદર, રકતાશે, નેત્રરોગ, રસવાહિની અને રસોત્પાદક પિંડમાં વિકાર થાય છે.ત્યારે આ રસાયન અમૃત સમાન ગુણ કરે છે. પાતળા ઝાડા, કબજીયાત અને ફિકાશ આનાથી સત્વરે મટે છે.

(૯) વૈક્રાન્ત યોગ : આ ઔષધ રત્રીઓ નું પરમ મિત્ર છે. પ્રજનન સંસ્થાન અને સમગ્ર શરીર માટે પૌષ્ટિક રસાયન છે. શીતવીર્ય, વાત-પિત્ત શામક, વિષધ્ન, સગર્ભા પ્રસૂતા, વંધ્યા અને પ્રદર પીડિત રત્રીઓ માટે સૌમ્ય અને નિર્ભય ઔષધ છે. ગર્ભાશયને બીજાશયના રોગો, શરીરમાં બળ અને સ્કૂતિ ે વધે છે. સંતાન ઈચ્છુક રત્રીને બાળક પ્રાપ્ત થાય છે.

(૧૦) બૃહદ્ સુવર્ણ વસંતમાલતી : સવે રોગો માટે વસંતમાલતી સૂચવેલી છે. આ રસાયનમાં જ્ઞાનતંતુ થી માંડી ને સુક્ષ્મમાં સુક્ષ્મ અવયવ સમૂહોને શકિત આપવાનો મહત્વનો ગુણ છે તેથી અંદરના અવયવોની અશિકતથી ઉત્પન્ન થનારા બધા જ રોગોમાં વપરાય છે. શિયાળામાં ખાસ વાપરવા યોગ્ય ભયંકર રોગ કે લાંબી બીમારીમાંથી ઉઠયો હોય ત્યારે રોગ સાથે લડતાં લડતાં થાકી ગયો હોય. શરીરની બધી ધાતુઓ ક્ષીણ થઈ ગઈ હોય છે. રોગ પ્રતિકારક શકિત ધટી ગઈ હોય છે, શરીર નિસ્તેજ અને અશકત થઈ ગયું હોય. ખોરાક લેવાતો ન હોય, પચતો ન હોય, એવી સ્થિતી માં જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદિપ્ત કરે છે. પાચકરસની ઉત્પત્તિ અને ક્રિયા સારી રીતે કરે છે. ધાતુઓનો અગ્નિ પણ બળવાન બનાવે છે, શરીરનું ઓજ, તેજ વધે છે. રંગ સુંદર બને છે. જંતુ, ક્ષયની શરુઆતમાં, કંઠમાળ, શરીરના બીજા ભાગમાં, બગલ, પેટ, થાળામાં ગાંઠ થઈ પાણી ઝરવું, ઝીણો તાવ, ભયંકર સૂકી ખાંસી, રૃક્ષતા, અશકિત, માંસક્ષીણતા હાથ-પગ સૂકાઈને લાકડી જેવા થઈ જવા માટે અકસીર દવા છે.

(૧૧) શ્વાસકાસ ચિંતામણિ રસ : હૃદય વિકાર જન્ય તમકશ્વાસ, નાડી તાલમાં વિકૃતી, છાતીમાં દબાણ, શ્વાસાવરોધ, શ્વાસ લેવામાં વ્યાકુળતા ફીણવાળો કફનો સ્ત્રાવ, આંશિક મૂત્રાવરોધ, શ્વાસમાં દાહ, ખાટા ઓડકાર, અતિશય ધૂમ્રપાન કરનારાઓની છાતી કફથી ભરેલી રહે છે. ફેફસામાં ચાંદા પડી જાય છે. વધુ પડતા ઉપવાસ, માનિસક ચિંતામાં અકસીર દવા.

(૧ર) ગુગળ ગુટિકા : આંઋદ્ધિની અકસીર દવા, સારણગાંઠ, ઉદરશૂળ, કબજીયાત, પેટની શૂળ મટાડી આંતરડાને સબળ અને યોગ્ય રીતે કામ કરતાં કરે છે.

(૧૩) કર કચવટી : કૃમિદોષ, કૃમિજન્ય તાવ, અપચાજન્ય તાવ, મંદ જીણેજવર, પેટમાં દુઃખાવો આફરો, ઉલ્ટી, અતિસાર, મળાવરોધ, અગ્નિમાંધ, કૃમિના લીધે પાંડુત્વ, સોજા અને નિબેળતા દૂર કરનાર.

(૧૪) કુષ્ઠ હર : કોઢની અકસીર દવા છે. સહાયક ઔષધ સાથે ધીરજપૂવેક સેવન કરવાથી હઠીલું દદે મૂળમાંથી મટે છે.

(૧પ) ગેસ માટે : ગેસ માટે અજોડ દવા છે. એક સ્થાને બેસીને કામ કરનારા માટે, ગેસ, પેટ ભારે થવું આફરો ચઢવો, ચૂંક આવવી, હૃદય પર દબાણ થઈ છાતીમાં દદે થવું, આંતરડા નબળા પડી ઝાડા થવા, કૃમિને લીધે આવતી વાઈમાં શીધ્ર ફાયદો કરે છે.

(૧૬) ગુડુચ્યાદિવટી : મેલેરિયા, ટાઢીઓ તાવ, એકાંતરિયો અને ચોથીઓ તાવ, સતત રહેતો તાવ વષમજવરનો નાશ કરનાર બરોળની વૃધ્ધિ, મંદાન્ગિ, નિસ્તેજતા, ઈન્ફલ્યુએન્ઝા, આમવાતજવર, જીણેજવરમાં ખૂબજ સારું પરિણામ આપે છે.

(૧૭) સંશમની ગુટિકા : જીર્ણજવર, પાંડુંરોગ,ખાંસી, પ્રદર, ધાતુસ્તાવ, અશકિત ને ક્ષયની શરુઆતની અવસ્થામાં ઉત્તમ ફાયદો કરે છે. તે રસાયન ગુણ ધરાવે છે.

(૧૮) શામક : આયુેવેદનું આ એન્ટિબાયોટિક છે. કોઈપણ ઔષધનું રીએક્ષન - ખંજવાળ બળતરા, ફોલ્લીઓ થઈ જવી, ચામડી અને મોંનો રંગ લાલ થઈ જવો, પિત્ત પ્રકોપનાં લક્ષણો દેખાય ત્યારે તુરત જ આ દવા અકસીર પરિણામ આપે છે.

(૧૯) સ્નાનરજ : ત્વચાને સુંવાળી બનાવે છે. શરીરનો વર્ણ સુધારે છે. ત્વચાદોષ દૂર થઈ ઝડપથી રોગ મટે છે. ખોટી ગરમી બળતરા શરીરની દૂર કરે, આખો દિવસ સુખડ ને ખસની સુગંધથી મનને પ્રફુલ્લિત કરે છે, ઉત્તમ સૌંદયે વધેક છે. ધસીને ન્હાવાથી શરીર હલકું થઈ જાય છે. પરસેવાની દૂર્ગધ ઓછી કરે છે.

() આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
   
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ


(
) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા
,  
   
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ


(
) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ  રોગીનું
,
   
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું


(
) બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન
,
     
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન


(
) રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી

   
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે  રાજી
 

(
) ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય

   
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય


(
) મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર

     
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર


(
) ખાંડ,મીઠું અને સોડા સફેદ ત્રણ ઝેર કહેવાય
,
     
નિત ખાવા પીવામાં વિવેક બુદ્ધિથી લેવાય


(
) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી


(
૧૦) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ

     
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ


(
૧૧) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો
,
     
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો


(
૧૨) ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય
,
     
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય


(
૧૩) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ
,
     
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું  માંદુ


(
૧૪) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ

       
લીંબુમાં અવગુણ એક નહીં,  ગુણ છે પુરા વીસ


(
૧૫) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી
,
       
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી


(
૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ  ઔષધ ઉપવાસ
 
       
હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ


Blessings | Jainism Sect | Library | Jain Special | Jain Religious all Sutro | Jain Songs Stavans Aarti | Weather | Jain Tirth Places + | Art and Photo Gallery | Jain Pathsala | Jain Gyanbhandar | Jain Recipes | Panjrapol | Jain Symbols | Books Reviews | Banners for Events | Jivdaya | Jainism in Gujarati | Courseware | Advertisements | Other Jain Site | Childrens Zone