Saturday, July 31, 2010
Search
www
jainuniversity.org
About us
|
Contact
|
Contribution
|
Sitemap
|
Home
1.
Blessings
2.
Jainism - Simplified
3.
Lord Mahavir
4.
24 Tirthankars
5.
Jainism Sect
6.
New to Jainism?
7.
Navkar Mantra
8.
Jain Religious all Sutro
9.
Jain Songs Stavans Aarti
10.
Jain Pooja/Poojans
11.
Daily Navkarsi time
12.
Pachchakhan/Sutak
13.
Jain Tirth Places +
14.
Jain Tithi, Panchang
15.
Art and Photo Gallery
16.
Astrology/Vastushastra
17.
Listen Navkar Mantra
18.
Jain Recipes
19.
Ayruvedic Upchar
20.
Useful Addresses
21.
Jain Trusts
22.
Jain Saints
23.
FAQ
24.
Greetings
25.
Courseware
26.
Jain Higher Knowledge
27.
Jain Festivals
28.
Advertisements
29.
Jain Magazines
30.
Other Jain Site
31.
Childrens Zone
Modern Knowledge Centre
Total Visitors
Home
»
Astrology/Vastushastra
»
Astrology in Guarati
Please press control + for bigger fonts
પ્રાચીનત્વ
જૈન સાહિત્યએ સવૅગ પૂણૅ સાહિત્ય છે, જેમાં દરેક વિષયોને સારી રીતે ઓળખાવવામાં આવ્યા છે.
પ્રભુ મહાવીરસ્વામિથી આગમસૃષ્ટિનો નવો પ્રાદુભૅવ થયો છે. તેમાં પૂવૅના દરેક તીથૅંકરોના આગમોનો સમાવેશ થયો છે.
અને એ આગમ પ્રવાહમાંથી કાલિકશ્રુત-ઊત્કાલિકશ્રુત વગેરે આગમ નહેરો નીકળી છે.
કાલિક આગમોમાં જંબુદ્વિ્પ પ્રજ્ઞપ્તિ, સૂયૅ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, અને દ્વિ્પ સાગર પ્રજ્ઞપ્તિએ સત્ય વસ્તુ પ્રરુપક - પ્રજ્ઞપ્તિઓ છે.
આમ આ પ્રજ્ઞપ્તિઓમાં ભૂગોળ આપી છે. અને બે આગમોમાં ખગોળનું આલેખન છે.
અત્યારે તો એ સ્પષ્ટ થયું છે. કે હિંદમાં પ્રાચીનમાં પ્રાચીન જયોતિષ વિષયક જો કોઇ સ્વતંત્ર ગ્રંથ હોય તો તે સૂયૅ-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ છે.
જેમાં તિથિ, નક્ષત્ર, કરણ, સૂયૅચાર, યોગ, ગુરુ, શની, ગ્રહણ અને ૮૮ ગ્રહોનો વગેરેનો અધિકાર છે.
વળી વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીની પૂર્વાર્ધમાં જૈનાચાર્યોઍ દરેક સાહિત્ય સાથે ગણિત, હોય,
અને મુહૂતૅ જયોતિષને પણ સારું પોષણ આપ્યું છે. અને તેમાં મંગળ, બુધ, શુક્ર, રાહુ, કેતુ તથા વારોને પણ સ્થાન આપ્યું છે.
આયૅવતૅમાં રાહુ, કેતુ અને વારના ઊલ્લેખો વધારે નજીકના કાળના છે.
કેમ કે એશિયાના તોરણમાં સં ૧૦૩પ આ.શુ. રવિવાર સ્વાતિનો (લેખાંક-૭૯૮) ઊલ્લેખ મળે છે.
તથા ધટીઆળાના જીન મંદિરમાં એક બાહ્મણે સં. ૯૧૮ ચૈત્ર શુ. ર હસ્તનક્ષત્ર બુધવારે હાટ સમપણૅ કર્યાની પ્રાકૃત યાદી છે.
(લેખાંક-૯૪પ)
આ પહેલાના ગ્રંથોમાં કે લેખોમાં રાહુ - કેતુ નો કે વારનો ઊલ્લેખો નથી. તેથી સમજી શકાય કે પછીનો ગ્રંથો એ તેનો સ્વીકાર કર્યો છે.
આકાશની તરફ નજર નાખતા માનવીના મગજમાં જીજ્ઞાસા થાય છે.
કે આ ગ્રહ, નક્ષત્ર શું વસ્તું છે ? તારા તૂટીને કેમ પડે છે ? સૂયૅ રોજ પૂવૅ દિશામાં કેમ ઊદય પામે છે ? પશ્વિમ દિશામાં કેમ અસ્ત
થાય છે ? ઋતુઓ ક્રમ અનુસાર કેમ આવે છે ? વગેરે આ બધી બાબતો નું જયોતિષ શાસ્ત્રમાં જેમ જેમ ઉંડા ઊતરીયે તેમ તેમ વધુ સમજ પડતી જાય છે.
જેનું સામાન્ય જ્ઞાન આ પ્રમાણે છે.
પંચાગ ઃ- એટલે પાંચ અંગોઓ સમૂહ..
(૧) તિથિ કુલ ૧પ + ૧ = ૧૬ છે.
(ર) વાર કુલ સાત છે.
(૩) નક્ષત્ર કુલ ર૭ છે.
(૪) યોગ કુલ ર૭ છે.
પ્રાચીનત્વ ઃ-
(પ) કરણ કુલ ૩૦ છે.
તથા ચરણ કુલ ૧૧ છે. રાશિ બાર છે.
(૬) રાશિ બાર છે. ગ્રહ નવ છે. તત્ત્વ ચાર છે.
રાશિ નિશાની રંગ ગ્રહોના નંગ સ્વભાવ તત્વ
૧ મેષ
(અ,લ,ઇ)
લાલ પરવાળું ચર અગ્નિ
૨ વૃષભ
(બ,વ,ઊ)
ફિકકો બ્લ્યુ હિરો સ્થિર પૃથ્વી
૩ મિથુન
(ક,છ,ધ)
પીળો પાનુ દ્વિ્સ્વભાવ વાયુ
૪ કકૅ
(ડ,હ)
લીલો મોતી ચર જલ
૫ સિંહ
(મ,ટ)
નારંગી માણેક સ્થિર અગ્નિ
૬ કન્યા
(પ,ઠ,ણ)
ફિકકો કાળો પાનું દ્વિ્સ્વભાવ પૃથ્વી
૭ તુલા
(ર,ત)
કીરમજી હીરો ચર વાયુ
૮ વૃશ્વિક
(ન,ય)
તેજદાર લાલ પરવાળુ સ્થિર જલ
૯ ધન
(ભ,ધ,ફ,ઢ)
પીળો પોખરાજ દ્વિ્સ્વભાવ અગ્નિ
૧૦ મકર
(ખ,જ)
કાળાશ પડતો નીલમ ચર પૃથ્વી
૧૧ કુંભ
(ગ,શ,સ)
આસ્માની નીલમ સ્થિર વાયુ
૧૨ મીન
(દ,ચ,ઝ,થ)
તેજદારસફેદ પોખરાજ દ્વિ્સ્વભાવ જલ
(૧) તિથિ ઃ-
તિથિ એટલે સૂયૅ અને ચંદ્ર વચ્ચેનું અંતર દર્શાવતી સંજ્ઞા..
* જે તિથિ સુર્યોદય ન જુએ તે તિથિનો ક્ષય થયો કહેવાય.
* જે તિથિ બે સુર્યોદયને જુએ તેને વૃદ્બિ તિથિ કહેવાય.
* જે તિથિ ત્રણવાર ને સ્થશૅ કરે ને ત્રણ સુર્યોદય જુએ,
જે તિથિ ડબલ તે તિથિ ફાલ્ગુની, વૃદ્બિ, તિથિ
ત્રણ સુર્યોદય જુએ.
નંદાદિ તિથિઓ ઃ-
નંદા ભદ જયા રિકતા પૂણૅ
૧ ૨ ૩ ૪ ૫
૬ ૭ ૮ ૯ ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫/૩૦
નંદા તિથિ સૂયૅવાર બન્ને ભેગા થતાં મૃત્યુયોગ થાય.
તિથિઓ ના નામ ઃ -
૧. પ્રતિપદા - પડવો, ઍકમ
૨. દ્ગિતિયા - બીજ
૩. તૃતિયા - ત્રીજ
૪. ચતુથીૅ - ચોથ
૫. પંચમી - પાંચમ
૬. ષષ્ડી - છઠૃ
૭. સપ્તમી - સાતમ
૮. અષ્ટમી - આઠમ
૯. નવમી - નોમ
૧૦. દશમી - દશમ
૧૧. એકાદશી - અગિયારસ
૧૨. દ્બાદ્શી - બારસ
૧૩. ત્રયોદશી - તેરસ
૧૪. ચતુદૅશી - ચૌદશ
૧૫. પૂર્ણિમા - પૂનમ
૩૦. અમાવાસ્યા - અમાસ
તિથિ ઓછામાં ઓછી ૨૦ કલાકની હોઇ શકે
ને વધુમાં વધુ ૨૭ કલાકની હોઇ શકે.
(ર) વાર ઃ-
સવારે સૂર્યોદય થાય ત્યાંથી શરુ કરી બીજા સૂર્યોદય
સુધીના સમયને વાર કહેવાય છે.
તેનો સમય ર૪ કલાક નો છે.
કુલ સાત (૭) વાર છે.
(૧) સોમવાર
(ર) મંગળવાર
(૩) બુધવાર
(૪) ગુરુવાર
(પ) શુક્રવાર
(૬) શનિવાર
(૭) રવિવાર
ર૭ નક્ષત્રના ર૭ યોગ ના કરણના નામ કુલ ૩૦ છે.
નામ નામ સુદના કરણ વદના કરણ
૧. અશ્વિની વિષ્કુંભ તિથિનો પહેલો ભાગ
બીજો ભાગ તિથિનો પહેલો ભાગ બીજો ભાગ
૧. કિસ્તુ ધ્વન બવ બાલવ કૌલવ
ર. ભરણી પ્રીતિ
ર. બાલવ કૌલવ તૈતિલ ગર
૩. કૃતિકા આયુષ્યમાન
૩. તૈતિલ ગર વણિજ વિષ્ટિ
૪. રોહિણી સૌભાગ્ય
૪. વણિજ વિષ્ટિ બવ બાલવ
પ. મૃગશીષૅ શોભન
પ. બવ બાલવ કૌલવ તૈતિલ
૬. આદ્રા અતિગંડ
૬. કૌલવ તૈતિલ ગર વણિજ
૭. પુનવૅસુ સુકમૅ
૭. ગહ વણિજ વિષ્ટિ બવ
૮. પુષ્ય ધૃતિ
૮. વિષ્ટિ બવ બાલવ કૌણવ
૯. આશ્લેષા શૂલ
૯. બાલવ બાલવ તૈતિલ ગર
૧૦. મઘા ગંડ
૧૦.તૈતિલ ગર વણિજ વિષ્ટિ
૧૧. પૂર્વા ફાલ્ગુની વૃધ્ધિ
૧૧.વણિજ વિષ્ટિ બવ બાલવ
૧ર. ઊત્તરા ફાલ્ગુની ધ્રુવ
૧૨.બવ બાલવ કૌલવ તૈતિલ
૧૩. હસ્ત વ્યાધાત
૧૩.કૌલવ તૈતિલ ગર વણિજ
૧૪. ચિત્રા હષૅણ
૧૪.ગર વણિજ વિષ્ટિ શકુની
૧પ. સ્વાતિ વજ્ર
૧૫.વિષ્ટિ બવ ચતુષ્પદ નાગ
૧૬. વિશાખા સિદ્ધિ
૧૭. અનુરાધા વ્યતિપાત
૧૮. જયેષ્ઠા વરીયાન સાત ચરકરણ ૪ સ્થિર કરણ છે.
આ પ્રમાણે કુલ ૧૧ ચરણો છે.
૧૯. મૂળ પરીધ તેમાં વિષ્ટિ (ભદ) ચરણ
અને બાજુમાં દર્શાવેલ ચાર સ્થિર કરણ અશુભ
ર૦. પૂર્વા ષાઢા શિવ (વજયૅ) છે.
બાકી ના છ ચર કરણો શુભ છે.
તથા સંક્રાતિના શુભાશુભ
ર૧. ઊત્તરા ષાઢા સિદ્ધ ફળ જોવામાં પણ કરણ ઊપયોગી છે.
રર. શ્રવણ સાધ્ય સાત ચરકરણ ચાર સ્થિર કરણ
ર૩. ધનિષ્ઠા શુભ ૧. બવ ૧. શકુનિ
ર૪. શતતારઠા શુકલ ૨. બાલવ ૨. ચતુષ્પદ
રપ. પૂવાૅ ભાદ્રપદ બ્રહ્મ ૩. કૌલવ ૩. નાગ
ર૬. ઊત્તરાભાદ્રપદ અૈન્દ્ર ૪. તૈતિલ ૪. કિસ્તુધ્ન
ર૭. રેવતી વૈદૃાુતિ પ. ગર
૬. વણિજ
૭. વિષ્ટિ (ભદ્રા)
ઊત્તરાષાઢા નક્ષત્રનાં ચોથા ચરણનાં રાશ્યાદિ,
૯ - ૦૬ - ૪૦ - ૦ થી શ્રવણ નક્ષત્રનો
પ્રથમ ૧/૧પ માં ભાગનાં રાશ્યાદિ ૯ - ૧૦ - ૫૩ - ૨૦ સુધી અભિજિત નક્ષત્ર ગણવામાં આવેછે.
(૩) નક્ષત્ર ઃ-
ક્રાંતિવૃત્તના આરંભ સ્થાનથી દરેક ૧૩ અંશ ૨૦ કલા ના વિભાગને નક્ષત્ર કહેવામાં આવે છે.
નક્ષત્ર ચંદ્ની ઓછી વત્તી ગતિ અનુસાર
નક્ષત્રો સમય વધ - ધટ થાય છે.
એક રાશિના ૩૦ (અંશ) બને છે.
અને આકાશના ૨૭ સરખા વિભાગ થાય છે.
જે નક્ષત્ર કહેવાય છે.
તે દરેક ૧૩ (અંશ) - ર૦ કલાના બને છે.
દરેક અંશના ૬૦ વિભાગ પાડીને
દરેકને કલાનું નામ આપવામાં આવે છે.
અને દરેક કલાના ૬૦ સરખા વિભાગ પાડીને
દરેક ને વિકલાનું નામ આપવામાં આવે છે.
૬૦ વિકલા = ૧ કલા
૬૦ કલા = ૧ અંશ
૩૦ અંશ = ૧ રાશિ
૧૨ રાશિ = ૧ રાશિચક્ર
૧૩ અંશ = ૨૦ કલા = ૧ નક્ષત્ર.
પંચાગમાં શુકલ પક્ષની ૧૫ તિથિ ૧ થી ૧૫,
કૃષ્ણ પક્ષની ૧૪ તિથિ તથા અમાવાસ્યા માટે ૩૦નો આંક દર્શાવેલ છે.
સૂયૅ - ચંદ્ના ગતિ ભેદે દરેક તિથિ પૂરી થવા માટે ઓછામાં ઓછા આશરે ૨૦ કલાકને વધારેમાં વધારે ૨૭ કલાક લાગે.
ચંદ્ને ર૭ નક્ષત્રો ભોગવતાં મધ્યમમાન દિવસ ૨૭, સાત કલાક, ૪૭ મિનિટ, ૧૧.૫૧૦ જ સેકન્ડ થાય છે.
આવા બાર ચક્રો ભોગવાય તેને એક ચંદ્ નક્ષત્ર, વષૅ કહેવાય છે.
અને તેની લંબાઇ ૩૨૭ દિવસ, ૨૦ કલાક, ૩૮ મિનિટ, ૧૮.૧૨૪૮ સેકન્ડ છે.
(૪) યોગ ઃ-
સૂયૅ અને ચંદ્ના રાશિ, અંશ, કલા, વિકલા,નો સરવાળો કરી જે રાશ્યાદિ આવે તેનો દરેક
૧૩ અંશ, ૨૦ કલા નો વિભાગ યોગ કહેવાય છે.
યોગ ૨૭ છે.
સૂયૅ-ચંદ્નો ગતિ ભેદે દરેક યોગ ઓછામાં ઓછા આશરે ૨૦ કલાક અને વધારેમાં વધારે આશરે રપ કલાકનો બને છે.
૨૭ યોગોને ફરી વળતાં લગભગ ૨૫ થી ૨૬ દિવસ લાગે છે.
પંચાગમાં આ દૈનિક યોગો કહેવાય છે.
૧૭ મો વ્યતિપાત યોગ અશુભ છે.
(પ) કરણ ઃ-
એક દિવસમાં બે કરણ હોય છે.
આ દૃષ્ટિએ કરણને અડધી તિથિ કહેવાય.
સંક્રાંતિનાં શુભાશુભ ફળ જોવામાં પણ કરણ ઊપયોગી છે.
શુભ તિથિ ઃ- ૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧
શુકલ પક્ષની ૧૩ તથા વદી પક્ષની એકમ શુભ છે.
શુભ વાર ઃ- સોમ, બુધ, ગુરુ, શુક્ર.
(૬) અધોમુખ નક્ષત્રો ઃ-
ભરણી, કાૃતિકા, અશ્લેષા, મઘા,
પૂ.ફા.,વિશાખા, મૂળ, પૂ.ષાં,
આ નક્ષત્રો ખાતાદિ કાર્યો ને સિદ્ધ કરનાર છે. (ખાત મુર્હત )
(૭) તિયૅગ્ મુખ નક્ષત્રો ઃ-
અશ્વિની, માગશીષૅ, પુનવૅશુ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, જયેષ્ઠા, રેવતી,
આ નક્ષત્રો યાત્રાદિ કાર્યો ની સિદ્ધિ કરનાર છે.
(૮) ઊધ્વૅમુખ નક્ષત્રો ઃ-
રોહિણી, આદ્રૅ, મૃગ, ઊ.ફા, ઊ.ષા, પુષ્ય
આ નક્ષત્રો ધ્વજ, અભિષેકાદિમાં શુભ છે.
(૯) શુભ નક્ષત્રો ઃ-
અશ્વિની, રોહિણી, મુગ, પૂ.વસુ, પુષ્ય, ઊ.ફા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઊ.ભા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ઊ.ષા, રેવતી,
વગેરે દરેક શુભ કાર્યો માટે.
(૧૦) વિંછુડો ઃ-
અનુરાધા નક્ષત્રમાં જ બેસે.
વિંછુડો વૃશ્વિકનો ચંદ્રમાં થાય ત્યારે બેઠો કહેવાય.
* ગુરુ કે શુક્રના અસ્તમાં સારુ કામ કદિ ન થાય.
* શુક્રના અસ્તમાં દિક્ષા અપાય.
(૧૧) વિજય મુહૂતૅ ઃ-
તેનું બીજું નામ અભિજીત છે. ( સમય ૪૮ મિનિટ ) સૂર્યોદય થી સૂર્યસ્ત સુધીના સમયનો અડધો ભાગ તે વિજય મુહૂતૅ કહેવાય છે.
દા.ત. કલાક ૭ મિનિટ ૨૦ નો સૂર્યોદય છે અને ૫-૨૦ નો સૂયૅસ્ત છે.
૭-૨૦ સૂર્યોદય માં સાંજનાં પ-૨૦ નો સમય + ૫-૦૦ અડધો દિવસ ઊમેરતાં ૧૭-૨૦ સૂયૅસ્ત ૧૨-૨૦ મધ્યાનનો કલાક સમય થયો
- ૦૭-૨૦ સૂયૅસ્ત હવે તેમાંથી ૧૦-૦૦ દિવસ દસ કલાક તેનો અડધો ભાગ કરવાથી ૧૨-૨૦ ૧૨-૨૦ કલાક થયા.
- ૦૦-૨૪ + ૦૦-૨૪
૧૧-૫૬ મિનિટ ૧૨-૪૪ મિનિટ, એટલે કે વિજય મૂહર્ત નો સમય
૧૧-૫૬ થી ૧૨-૪૪ સુધીનો ગણાય છે.
(૧૨) ગોરજ સમય ઃ-
ગોરજ = સંધ્યા સમયે ગાયો પાછી ફરતાં તેના પગથી ઊડતી રંજ હવામાં ભળતી. ધૂળ તે ગોરજ.
આ સૂર્યસ્ત સમયે થાય. સૂર્યસ્ત પહેલાની ૨૪ મિનિટ અને સૂર્યસ્ત પછી ની ૨૪ મિનિટ એમ કુલ
૪૮ મિનિટનો સમય ગોરજ સમય કહેવાય છે.
તે સમયે- કદિ મૈથુન ન સેવાય, ભણાય નહિં,
સૂવાય નહિં, બહાર ફરવા ન જવાય...
(૧૩) ઊષાકાળ ઃ-
સૂર્યોદયના સમય પહેલાની ૨૪ મિનિટ અને સૂર્યોદય પછીની ૨૪ મિનિટ એમ કુલ ૪૮ મિનિટ
નો સમયને ઊષાકાળ કહેવાય છે.
તે સમયે - સૂવા નહિં, ભણાય નહિં,
મૈથુન ન સેવાય...
(૧૪) ગ્રહોની અંશાત્મક યુતિ એટલે ઃ-
યુતિમાં બન્ને ગ્રહના અંશ ૧૦ કરતા વધારે હોય તો બન્ને ગ્રહની અસર ઓછી થાય પરંતુ
૧૦ અંશંની અંદર હોય તો જે ભાવમાં હોય તે ભાવની શુભ અસર બગાડે છે.
(૧૫) અસ્તના ગ્રહ્રહ ઃ-
સૂયૅની સાથે રહેલ બીજા ગ્રહની આજુ બાજુમાં અસ્તના થાય.
(૧૬) પ્રદોશ કાળ ઃ-
પ્રદોશ કાળ કાઢવા માટે પાંચ રાત્રિના ભાગ કરવા.
સૂયૅસ્ત, ઊષા, મધ્યાન, પ્રદોશકાળ,
* સૂયૅસ્ત પછીના પહેલાં કાળને પ્રદોશકાળ કહે છે.
* અમાસ ના દિવસે પ્રદોશકાળ હોયતો લક્ષ્મી પૂજન માટે ઊત્તમ છે.
* સૂયૅસ્ત થી સૂયૅ ઊદય સુધીના સમયમાં પાંચ ભાગ પાડવાના તેમાનો સૌથી પહેલો ભાગ તે
પ્રદોશ કાળ..
દા.ત -
આસો વદી અમાસે, સૂ.અ. ૧૭-૫૯, સૂ.ઊ. ૦૬-૪૮
૧૧-૧૧ દિનમાન, + ૧૨-૪૯ રાત્રિમાન, ૨૪-૦૦
પ્રદોષ વારનો હોય છે.
તેમજ પ્રદોષ તેરસ (૧૩) નો હોય છે. સુદ કે વદ ગમે તે હોઇ શકે છે.
* પ્રદોષ એટલે સારો યોગ નહિં તો
* એકમને સાંજના સૂયૅસ્ત વખતે બીજ હોય
તો તે દિવસે બીજના ચંદ્ના દશૅન એકમે થાય.
* સુદી ચોથ (૪) નું ચંદ્ દશૅન કદી ન કરવું..
(૧૭) યોગિની ઃ-
પ્રયાણ સમયે, જમણી યોગિની સુખદાયક હોય છે.
પીઠ પાછળની યોગિની વાંછિત ફળ આપનાર છે.
ડાબી યોગિની ધન નાશ કરે છે.
સન્મુખ યોગિની મૃત્યુ દાતા છે.
પ્રતિપદા અને નોમે પૂવૅ દિશામાં,
ત્રીજ ને અગિયારસે અગ્નિખૂણામાં,
પાંચમને તેરસે દક્ષિણ દિશામાં
ચોથ અને બારસે, નૈઋત્યમાં,
છઠ્ઠ અને ચૌદશે પશ્વિમમાં,
સાતમ અને પૂનમે વાયવ્યમાં,
બીજ અને દશમે ઊત્તરમાં,
આઠમને અમાસે ઇશાનમાં,
યોગિની વાસ કરે છે.
અન્યો અન્યથી ઊચ્ચનો અને
અન્યો અન્યથી નીચનો યોગ થતો હોય તે જોવાનું...
દા.ત. કન્યાનો મંગળ અને મકરનો બુધ હોય તો મંગળ અન્યો અન્યથી ઊચ્ચનો થયો કારણ મંગળ કન્યા રાશિમાં બેઠો છે
અને કન્યા રાશિનો માલિક બુધ. મંગળની ઊચ્ચ રાશિમાં બેઠો કહેવાય. એટલે મંગળ અન્યોન્યથી ઊચ્ચનો થયો કહેવાય
તેવી રીતે અન્યોન્ય થી ની કકૅનો બુધ ને મીનનો મંગળ અન્યોન્યથી નીચના બન્યા...
ચોઘડિયા જોવાની રીત ઃ-
સૂર્યોદય થી સૂયાસ્ત ના સમયના આઠ ભાગ કરવા તે દિવસનું ચોઘડિયું.
તેવી રીતે રાતના ચોધડિયા સૂયૅસ્ત થી સૂર્યોદય ના સમયના આઠ ભાગ કરવા
લગભગ ૧-૧/૨ ઘડી નું ૧ ચોઘડિયું હોય છે.
દિવસના ચોઘડિયા ઃ-
રવિ- સોમ- મંગળ- બુધ- ગુરુ- શુક્ર- શનિ
ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ
લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ
અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ
કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ ચલ
શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ
રોગ લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત
ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
રાત્રીના ચોઘડિયા ઃ-
રવિ- સોમ- મંગળ- બુધ- ગુરુ- શુક્ર- શનિ
શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ
અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ
ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ
રોગ લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત
કાળ ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ ચલ
લાભ શુભ ચલ કાળ ઊદ્બેગ અમૃત રોગ
ઊદ્બેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
શુભ ચલ કાળ શુભ અમૃત રોગ લાભ
રાશિના નામ
૧. મેષ
ર. વૃષભ
૩. મિથુન
૪. કકૅ
૫. સિંહ ૧૧. કુંભ
૬. કન્યા
૭. તુલા
૮. વૃશ્ચિક
૯. ધન
૧૦. મકર
૧૧. કુંભ
૧૨. મીન
સ્વગૃહી ઃ-
કોઇપણ કુંડળીમાં કોઇપણ ખાનામાં (સ્થાનમાં)
મંગળ, ૧-મેષ તથા ૮-વૃશ્ચિક રાશીના હોય તો સ્વગૃહી કહેવાય.
શુક્ર - (ર) વૃષભ તથા (૭) તુલામાં સ્વગૃહી
બુધ - (૩) મિથુન તથા (૬) કન્યામાં સ્વગૃહી
ચંદ્ - (૪) કકૅ માં સ્વગૃહી
સૂયૅ - (પ) સિંહમાં સ્વગૃહી
ગુરુ - (૯) ધન અને (૧ર) મીનમાં સ્વગૃહી
શનિ - (૧૦) મકર અને (૧૧) કુંભમાં સ્વગૃહી થાય છે.
દરેક ગ્રહ પોતાની રાશીમાં હોય તો સ્વગૃહી બને છે. તે ગ્રહ તે રાશિનો સ્વામિ અધિપતિ કે માલિક ગણાય છે.
મારકેશ સ્થાન ઃ-
કુંડળીમાં બીજુંને બારમું સ્થાન માકૅશ સ્થાન કહેવાય છે.
ત્રીક સ્થાન ઃ-
છ, આઠ ને બારમાં સ્થાન ને ત્રીક સ્થાન કહેવાય છે. ખાડાનાં સ્થાન કહેવાય છે.
કેન્દ્ર સ્થાન ઃ-
એક, ચાર, સાત, ને દસમાં સ્થાન ને કેન્દ્ સ્થાન કહેવાય છે.
ત્રિકોણ સ્થાન ઃ-
પાંચમા ને નવમાં સ્થાન ને ત્રિકોણ સ્થાન કહેવાય છે.
પણફર ઃ-
બે, પાંચ , આઠ , અગિયારમાં સ્થાન ને પણફર કહેવાય છે.
અપોકીલમ ઃ-
ત્રણ, પાંચ, નવ ને બારમાં સ્થાન ને અપોકીલમ કહેવાય છે.
પાપગ્રહો ઃ-
સૂયૅ, મંગળ, શનિ, રાહુ ને કેતુ ને પાપગ્રહ કહે છે અથવા અશુભ ગ્રહ કહે છે,
શુભગ્રહો ઃ-
ચંદ્, ગુરુ ને શુક્ર ને શુભગ્રહ કહે છે.
તટસ્થ ગ્રહ ઃ-
બુધ તટસ્થ ગ્રહ છે. જેની સાથે હોય તેવું ફળ આપે શુભ સાથે શુભ, અશુભ સાથે અશુભ ફળ આપે છે.
પાછળ કુંડળીમાં કયા ખાનામાં કયું સ્થાન કહેવાય છે. તે બતાવ્યું છે. આ દરેક સ્થાનમાં કે ભાવમાં કંઇ બાબત જોવાય છે તે પણ દર્શાવેલ છે.
આ કુંડળીમાં સ્થાનો નિશ્વત છે.
દા.ત. પ્રથમ સ્થાનમાં ૪ અંક લખ્યો હોય તે ૪ કકૅ, રાશિ એટલે કે, જાતકનું જન્મ લગ્ન કકૅ છે. તેમ સમજવું.
કુંડળીના કોઇપણ સ્થાનમાં (ખાનામાં) સૂયૅ (૧) મેષ માં હોય તો ઊચ્ચનો સૂયૅ છે તેમ કહેવાય.
જો સૂયૅ (૭)માં તુલામાં હોય તો નીચનો સૂયૅ છે તેમ કહેવાય.
ચંદ્ર (ર) વાષભ રાશિમાં હોય તો ઊચ્ચનો છે, તેમ કહેવાય અને જો (૮) વૃશ્ચિક રાશિમાં હોય તો નીચનો તેમ કહેવાય.
મંગળ (૧૦) મકર નો હોય તો ઊચ્ચનો અને (૪) કકૅમાં હોય તો નીચનો કહેવાય.
બુધ (૬) કન્યા માં હોય તો ઊચ્ચનો અને (૧ર) મીનમાં નીચનો કહેવાય.
ગુરુ (૪) કકૅમાં હોય તો ઊચ્ચનો અને (૧૦) મકરમાં નીચનો થાય.
શુક્ર (૧૦) મીનમાં હોય તો ઊચ્ચનો અને (૬) કન્યામાં નીચનો થાય.
શનિ (૭) તુલામાં ઊચ્ચનો અને મેષમાં (૧) નીચનો થાય છે.
લગ્ન કાઢવાની રીત ઃ-
જે જાતકનું જન્મ લગ્ન કાઢવું હોય તો, જાતકનો જન્મ સમય, જન્મ સ્થળ, જન્મ તારીખ જોઇએ.
જન્મકુંડળીના ૧ થી ૧ર ભાવોમાં જોવાના વિવિધ પાંસાઓ
(૧) જન્મ લગ્ન - મેષ લગ્ન - મેંષ રાશિ પ્રથમ સ્થાન, ઊપચય - જાતકના જન્મ સમયના સંજોગો, દેહ, આત્મબળ, સ્વાસ્થ્ય, રૂ૫, ગુણ, સ્વભાવ, પ્રકૃતિ, શારીરિક બંધારણ, પૂવૅકમૅ, મન, આત્મા, મસ્તિક, દેહભાવ, કેન્દ્ર ત્રિકોણ.
(ર) જન્મ લગ્ન - વૃષભ લગ્ન પણફર - વૃષભ રાશિ દ્વિતિય સ્થાન - કુંટુબ, આશ્રિત મિત્રો, ધન, બંધન, મોહ કુળ, જમણી આંખ, મુખ, અન્ન, ખાન-પાન, મારક
(૩) જન્મ લગ્ન - મિથુન લગ્ન અપોકિલમ - ભાઇ, સહજ, બહેન, પુરુષાથૅ, સાહસ, શકિત, ધૈયૅ, હિંમ્મત, અભિમાન, સગા પડોશી, નોકર, ખભો, ગળુ, જમણો કાન..
(૪) જન્મ લગ્ન - કકૅ લગ્ન - કકૅ રાશિ ચતુથૅ સ્થાન, ઊપચય - સુખ સ્થાન, કેન્દ્સ્થાન, ખેતર, ખેતી, બાગ-બગીચો, સ્થાવર મિલકત, જન્મભૂમિમાં રહેવું કે દૂર જવુ..
(૫) જન્મ લગ્ન - સિંહ - પણફર, સંતાન, વિદ્યા, વાણી, બુદ્ધિ, વિચાર, સટો, જ્ઞાન, સત્યપુરુષો, પુત્ર કે પુત્રી, ભાગ્યોદય, લોટરી, રમતગમત, શોખ, જુગાર...
(૬) જન્મ લગ્ન - કન્યા - અપોકિલમ, જમણો પગ, રોગ, શત્રુ, પ્રભાવ, ક્રોધ, અસત્ય, દુઃખ, પરિશ્રમ,ઋણ, ઇષ્યૅ, પેટ, મોસાળ, ભાડુત, આંતરડા, અંડ, કન્યા, શત્રુ, રોગ સ્થાન, ષષ્ઠસ્થાન, ઊપચય, દુઃસ્થાન..
(૭) જન્મ લગ્ન - તુલા - તુલા રાશિ સપ્તમ સ્થાન ઊપચય - તુલા કેન્દ્, મારક સ્ત્રી , લગ્ન, વિવાહ, પતિ - પત્ની, ભોગ, પ્રણય, પ્રેમ, પ્રેયસી, પ્રિયતમ, આવક, ભાગીદારી, કલહ, સ્વાસ્થ્ય, દત્તક પુત્ર, માતામહી, પીતામહ, વિષયવાસના, પેઢું, વ્યભિચાર, ગુદા સ્થાન, કોટૅ-કજિયા, ખોવાયેલ વસ્તુ, યાત્રા,
ન્યાયાલય, શ્વસુર પક્ષ, લગ્ન જીવન...
(૮) જન્મ લગ્ન - વૃશ્ચિક - પણફર, માંદગી, સ્વાથૅ, ચિંતા, વિદેશ, પુરાતત્વ, ઋણ, ચાતુયૅ, ભાઇના શત્રુ, ઝેર, પરાજય, આપધાત, શસ્ત્ર ક્રિયા, આઠમું સ્થાન - વૃશ્વિક, આયુષ્ય, મૃત્યુ, દુઃસ્થાન, ગુપ્તભાગ,ડાબો પગ, રાજકીય, બુધ્ધિ, સ્વાથૅ, અકલ્પીત ધન લાભ...
(૯) જન્મ લગ્ન - ધન - અપોકિલમ, ન્યાય, ભાગ્ય, ધમૅ, તીથૅ, પરોપકાર, ઇશ્વરીબળ, કાયદો, શુભ કમૅ, જાંધ, ધામૅિક ક્રિયાઓ, સફળતા, હાયર માઇન્ડ, ધન, ભાગ્ય,
નવમ સ્થાન, ત્રિકોપ...
(૧૦) જન્મ લગ્ન - મકર લગ્ન - ઊપચય, મકર રાશિ મકર દશમ સ્થાન - કેન્દ્, રાજય, કમૅ સ્થાન, અશ્વયૅ, તીથૅયાત્રા, ઢચણ, માનપદ, કીર્તિ, ઊચ્ચ અધિકારી, ડાબી છાતી, પૂવૅ બળ, સફળતા, અહંકાર...
(૧૧) જન્મ લગ્ન - કૃંભ લગ્ન - પણફર કુંભ રાશિ - લાભ, લોભ, આવક, ધન, મિત્ર, મોટાભાઇ, આશ્રયદાતા,આશા, ઇચ્છા, પગ, ડાબો કાન, એકાદશ સ્થાન, કુંભ,ઊપચય, લાભ સ્થાન..
(૧ર) જન્મ લગ્ન - મીન લગ્ન મીન રાશિ - દ્ધાદશ સ્થાન, અપોકિલમ, દુઃસ્થાન, વ્યય, બંધન, ખચૅ, હાની, વિદેશ, મોક્ષ, નબળાઇ, કંજુસાઇ, બહારના સંબંધો,
પગના તળિયા, શયનસુખ, ડાબી આંખ..
જન્મ કુંડલીમાં રોગો કયાં જોવા ઃ-
(૧) રાશિ મેષ - તેનો સ્વામિ મંગળ,
અંગ, સંપૂણૅ શરીર પર કાબુ, માથુ, મસ્તિક, કપાળ, નેત્ર, મુખ,રોગ-ઊન્માદ, તનાવ, અનિદ્રા, હાડકાના રોગો.. (નાભિ)
(ર) રાશિ વૃષભ - તેનો સ્વામિ શુક્ર,
અંગ, આંખ, કાન, નાક, ગાલ, હોઠ, દાંત, મુખ, ગળુ, વાણી, શ્વાસનળી, રાગ (નીચે)
(૩) રાશિ મિથુન - તેનો સ્વામિ બુધ,
કંઠ, ગ્રીવા, ખભો, હાથ, કોણી, હથેળી, સ્તન, આયુ, રકતવિહાર,શ્વાસ, દમ, ન્યુમોનિયા, ચમૅરોગ, મજજા રોગ...
(૪) રાશિ કકૅ - તેનો સ્વામિ ચંદ્ર,
અંગ, ફેફસાં, મન, હ્ય્દય, શ્વાસનળી, રોગ- હ્ય્દયરોગ, રકતવિહાર..
(પ) રાશિ સિંહ - તેનો સ્વામિ સૂયૅ,
અંગ, પેટ, આંતરડા, જીગર, ગુદૅ, નાભિ, ઊદર, રોગ - વાયુ વિહાર, કબજીયાત, મેદવૃધ્ધિ, ગુદૅરોગ, આંતરડાના રોગ, ગભૅ..
(૬) રાશિ કન્યા - તેનો સ્વામિ બુધ,
અંગ, નિતંભ, જાંગથી, પંજાની આંગળી સુધી, જીગર, તિલ્લી, આમાશય, રોગ - અપચો, મંદાગ્નિ, કમર દદૅ, ચમૅરોગ, (રોગને કષ્ટનું ઊદ્ગમ સ્થાન)
(૭) રાશિ તુલા - તેનો સ્વામિ શુક્ર,
અંગ, વસ્તિ, મૂત્રાશય, ગભૅશયનો ઊપરી ભાગ, ગુપ્તેન્દ્રિય, રોગ - પથરી, મૂત્રાશયના રોગ, મધુમેહ, પ્રદર, મૂત્રકૂચ્છ, બહુમૂત્ર, જાતીય રોગ..
(૮) રાશિ વૃશ્ચિક - તેનો સ્વામિ મંગળ,
અંગ, ગભૅશય, જનનેન્દ્રિય, ગુદા, આયુ, મૃત્યુ, જાંગથી, પગની આંગળી સુધી, રોગ - ગુપ્તરોગ, ભગંદર, અશૅ, ઊપદેશ, એડ્સ, સિફીલીસ, વીયૅવિહાર રોગ...
(૯) રાશિ ધન - તેનો સ્વામિ ગુરુ,
અંગ, રાશિ પ્રમાણે તિલ્લી, યકૃત, રકત, રોગ - અસ્થિભંગ, રકતરોગ,મજજા, રાશિ પ્રમાણે...
(૧૦) રાશિ મકર - તેનો સ્વામિ શનિ,
અંગ, રાશિ ૪ પ્રમાણે, રોગ - વાત, શીથ, વીયૅ, રકતચાપ + રાશિ ૪ પ્રમાણે
(૧૧) રાશિ કુંભ - તેનો સ્વામિ શનિ,
અંગ, રાશિ ૩ પ્રમાણે, રોગ - જલોદર, માનસિક રોગ,+ રાશિ ૩ પ્રમાણે..
(૧ર) રાશિ મીન - તેનો સ્વામિ ગુરુ ,
અંગ, રાશિ ર પ્રમાણે, રોગ - ર પ્રમાણે,+એલજૅ, ચમૅ, રકત, આમવાત, આંખ, ગ્રંથી, ગંઠિયા, મૃત્યુ, રોગોપર થનાર વ્યય..
કેવા કાયૅ માટે કયો ગ્રહ સારો -
૧. સૂયૅ ઃ - પ્રભાવશાળી કાયૅ માટે.
ર. ચંદ્ર ઃ - શાન્તીના કાયૅ માટે.
૩. મંગળ ઃ - હુન્નર ઊધોગના કાયૅ માટે.
૪. બુધ ઃ- જ્ઞાનોદયના કાયૅ માટે.
પ. ગુરુ ઃ - વકૃત્વના દરેક કાયૅ માટે.
૬. શુક ઃ - વૈભવ, વિલાસ, તથા ભોગ્યના કાયૅ માટે.
૭. શનિ ઃ - સ્થિર કાયૅ માટે.
જરુરી કોષ્ટક ઃ -
૬૦ પ્રતિપલ = ૧ વિપલ ૬૦ પ્રતિ વિકલા = ૧ વિકલા
૬૦ વિપલ = ૧ પલ ૬૦ વિકલા = ૧ કલા
૬૦ પલ = ૧ ધડી અથવા દંડ ૬૦ કલા = ૧ અંશ
૨૪ મિનિટ = ૧ ધડી ૩૦ અંશ = ૧ રાશિ
૨ ૧/૨ પલ = ૧ મિનિટ ૧ર રાશિ = ૧ ભગણ
૨ ૧/૨ વિપલ = ૧ સેકન્ડ ૮ ચલ = ૧ અંગુલ
૨ ૧/૨ ધડી = ૧ કલાક ર૪ અંગુલ = ૧ હાથ
૪ હાથ = ૧ દંડ અથવા બાંસ
૨૦૦૦ દંડ અથવા બાંસ = ૧ ક્રોસ
Blessings
|
Jainism Sect
|
Library
|
Jain Special
|
Jain Religious all Sutro
|
Jain Songs Stavans Aarti
|
Weather
|
Jain Tirth Places +
|
Art and Photo Gallery
|
Jain Pathsala
|
Jain Gyanbhandar
|
Jain Recipes
|
Panjrapol
|
Jain Symbols
|
Books Reviews
|
Banners for Events
|
Jivdaya
|
Jainism in Gujarati
|
Courseware
|
Advertisements
|
Other Jain Site
|
Childrens Zone
email:
info@jainuniversity.org
Copyright © 2002-2006
www.JainUniversity.org
, All rights reserved.